અતિ લોભ પાપનું મૂળ

  • 2.4k
  • 2
  • 760

અતિ લોભ પાપનું મૂળ પંડીતજી તેમના નિત્ય ક્રમાનુસાર મુજબની પૂજામાંથી હમણાં જ ઉઠ્યાં હતા અને ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે ઠાકુરની માતાનું નિધન થયું છે. સમાચાર સાંભળીને અચાનક તેના ચમકતા ગાલ લાલ લાલ થઈ ગયા. હોઠ પર પણ સ્મિત ઉભરાયું. પત્ની પાસે જ ઉભી હતી. તેણે હસીને તેને પૂછ્યું, "અરે સાંભળો, ઠાકુરની માતા હવે નથી રહ્યા, મને સારી તક મળી છે. તમને શું જોઈએ છે તે કહો, પછી એમ ન કહેતા કે મારી એક ઇચ્છા અધૂરી રહી ગઈ છે.પત્ની પણ ખુશીથી બંગડી, સાડી જેવી અગણિત ઈચ્છાઓ કહેવા લાગી પણ પંડીતજી ઉતાવળમાં હતા એટલે ઠાકુરની હવેલી તરફ દોડ્યા. રસ્તામાં તેઓએ