પૂનમ ની પગપાળા યાત્રા

  • 2.7k
  • 1
  • 956

"પૂનમની" અંબાજી પગપાળા યાત્રા..... ................................. ભાદરવી પૂનમ આવે એટલે ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યનાં ભાઈ બહેનો પૂર્વાયોજન કરીને પગપાળા માતા અંબાજીના ધામે દરવર્ષે માનવ મહેરામણ આવતો હોય છે.શ્રાવણ માસનો ઝરમર વરસાદ હમણાં વરસી ભાદરવાની શરૂઆત થાય એટલે માઇભક્તો કોસો દૂર અરવલ્લીના ગીરી કંદરામાં છુપાયેલું માતા અંબાજીનું રૂડું રૂપાળું સુવર્ણ મઢ્યું ધામ અને ગર્ભગૃહ માઁ યંત્રસ્વરૂપ માઁ અંબાજીની પ્રતિકૃતિ તેમજ ગબ્બરના ડુંગરામાં જ્યોત સ્વરૂપ બિરાજમાન માઁ અંબાજી ના દર્શન દર વરસે નીત નવાં લાગે.દર વરસે નહિ "दिने दिने नवम नवम" દરરોજ નીત નવાં પરિધાન,અલંકૃત થકી માતાજીની એ ક્ષણો ભાવિક ભક્તોને માટે અસિમિત સમયની સુખ આપનારી ઘડી લાગે છે. પૂનમ એ