ઘટમાળની બહાર – દિવ્યેશ ત્રિવેદી

  • 1.9k
  • 534

પ્રોફેસર દેવેન્દ્ર યાજ્ઞિક આજે કોઈ જુદા જ મૂડમાં હતા. આમે ય એમનો મનોવિજ્ઞાન વિષય, અને ઊંડા અભ્યાસ સાથે વર્ષોનો અનુભવ. ‘મૈત્રી-પ્રણય અને દાંપત્ય જીવન’ ઉપર આજે વિવેચન કરતા હતા. “બે બહુ બુધ્ધિશાળી અથવા બે એકદમ મૂર્ખાની મૈત્રી જ ટકતી જોવા મળે છે. એમાં કજોડું ન ચાલે… પરંતુ ક્યારેક આવી વિધાયક પરિસ્થિતિમાં પણ વિરુધ્ધ પરિણામો આવે છે… અને એ પછી એવા પ્રસંગો બની જતા હોય છે કે એમાંથી અવનવા વળાંકો જન્મ લે છે…” આજે પ્રોફેસર યાજ્ઞિક વિષયના વર્તુળમાંથી બહાર નીકળી ગયા… કોઈક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, “સર એવું કોઈ ઉદાહરણ આપશો? અને પ્રોફેસર યાજ્ઞિકને ઉગારવા માટે જ જાણે કે બેલ પડ્યો!