પાંચ કોયડા - 10

(15)
  • 2.7k
  • 3
  • 1.3k

પાંચ કોયડા -10 વાત એમ હતી કે, અમદાવાદમાં એ વખતે એક નાટક આવ્યું હતું .નાટકનું નામ હતું “ નસીબ ની માયાજાળ “ નાટકના સો એક જેવા show પુરા થવાના હતા. તેની ખુશાલીમાં ડાયરેક્ટરે નાટકનો સોમો શો પૂરો થાય, ત્યારબાદ નાની પાર્ટીનું આયોજન કરેલું .હવે આપણે તો કંઈ આવા મોંઘા નાટક જોવા જઈ શકીએ ? ત્યાં જ પાછી શરૂ થઈ નસીબ ની માયાજાળ. મારા સાહેબ કનુભાઈ પટેલ જેમની ફેક્ટરીમાં હું કામ કરતો હતો,એમણે પોતાના પત્ની સાથે આ નાટક જોવાનું ગોઠવેલું. પણ અણીના સમયે એની રૂપાળી રાણીની તબિયત બગડી અને પ્રોગ્રામ કેન્સલ. ટીકીટ તો પહેલાથી લઈ રાખેલી. ઘરે ! કરે શું ?