નિ:શુલ્ક, નિ:સ્વાર્થ સેવાઓ આપતી સંસ્થા

  • 3.1k
  • 683

નિ:શુલ્ક, નિ:સ્વાર્થ સેવાઓ આપતી સંસ્થા ‘આદર્શ અમદાવાદ’ ભરતભાઈ શાહ ‘તન્મે મન: શિવ સંકલ્પમસ્તુ’ ‘અમારા મનમાં શુભ-કલ્યાણકારી સંકલ્પ હજો’ વાહ ! કેવી સરસ મજાની વાત અહીં કરવામાં આવી છે. મારા મનમાં પણ આવો એક શુભ સંકલ્પ જાગ્યો અને એનું સાકાર-મૂર્તિમંત સ્વરૂપ છે ‘આદર્શ અમદાવાદ’ આજથી લગભગ દસેક વર્ષ પહેલાની વાત છે. દિવાળીના વેકેશનમાં સહકુટુંબ દુબઈ જવાનું થયું હતું. સ્વયંની આત્મસાધના માટે ધંધાકીય નિવૃત્તિ પછીનો આ સમય હતો. આત્મસાધના તો થઈ જ રહી હતી. સમગ્ર જીવન પર દ્રષ્ટિપાત કરતાં એવું અનુભવ્યું કે સમાજે મને કેટલું બધું આપ્યું હતું. જન્મ, બાળપણ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા સુધી મેં અનેક રૂપે સમાજ પાસેથી જે બધું મેળવ્યું હતું,