અધિનાયક પોલિટીકલ થ્રીલર દ્રશ્ય 33

(21)
  • 2.1k
  • 4
  • 730

દ્રશ્ય: - 33 મહેતા દિવ્યરાજકાકા અને અધિવેશ સાથે સાથે મોડેથી આવ્યા.  “માણસ ન બદલે ત્યાં સુધી વસ્તુ તો ક્યારેય રંગ બદલવાની જ નથી, આ દિવ્યલોક ભવન દરરોજ આવતા લોકોને કારણે-તેમના વિશ્વાસને કારણે અણનમ છે, દેવરાજના ગયાં પછી તો મેં રાજકારણમાથી નિવૃતિ જ લઇ લીધી, પણ દેવિકાની ઇચ્છા હતી કે દિવ્ય દરબાર યથાવત્ રાખો, હું લોકોની ફરીયાદ સાંભળીને મારી યથાશક્તિએ નિકાલ કરવા પ્રયત્ન કરુ છું.”  “દેવિકાબહેન તો દેવરાજની સાચા અર્થમાં અર્ધાગંના છે, દેવરાજે ઊભી કરેલી કેડીએ ચાલવું ખુબ મુશ્કેલ છે.” મહેતાએ જવાબ આપ્યો, બન્ને સભાખંડમાં આવ્યા અને અધિવેશ બહાર જ ઊભો રહી ગયો, તે ઉંડા વિચારોમાં ખોવાયેલો હતો. આ બાજુ દેવિકાબહેન