નખ્ખોદ ! - National Story Competition January 2018

(13)
  • 2.9k
  • 1
  • 725

ભક્તિભાવ વ્યાપી જાય સમગ્ર ચેતનાતંત્રમાં એવું આ અતિ પ્રાચીન કોટ્યાર્ક મંદિર. અહીંના વાતવરણમાં મદિરાના નશા કરતાં સાવ જુદો જ નશો છે. આ નશો એટલે વૈરાગ્યનો નશો, ચિત્તની પ્રસન્નતાનો નશો, મનની શાંતિનો નશો ! દર્શનાર્થીઓનાં દિલોદિમાગ ઉપર એક અદ્ભુત આધ્યાત્મિક સામ્રાજ્યા અહીં છવાઈ જાય છે. આ મંદિરમાં પ્રસ્થાપિત થયેલી છે એક મૂર્તિ, નામે ‘માતૃકા’. બેનમૂન શિલ્પ છે મૂર્તિનું ! શિલ્પનો વિષય પણ ઉત્તમોત્તમ ! માતા અને તેની કોખમાંનું બાળક ! વાત્સલ્યભાવથી પુલકિત એવી માતાનું હૃદય જાણે કે ત્રીજું સ્તન હોય તેમ વાત્સલ્યપાનથી પરિતૃપ્ત એવું શિશુ માતાના ત્રિભંગ દેહને ચીપકી રહ્યું છે ! સંતાનભૂખપીડિત યાત્રિકો અહીં અંતર્ધ્યાન બનીને હાથ ફેલાવે છે, માથાં ટેકવે છે, અશ્રુ સારે છે !